ગુજ્રરાત માં અહિયા આવેલું છે ‘ચોકીદાર દેવ’ નું મંદિર કરે છે આદિવાસીઓની રક્ષા…

ધાર્મિક

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક એવું મંદિર પણ આવેલું છે જે મંદિરનું નામજ ચોકીદાર છે.

સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  તથા બીજેપીના સમર્થકો પોતે મેં ભી ચોકીદાર હુંથી પોતાને સંબોધે છે.  ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એક એવું મંદિર પણ આવેલું છે જે મંદિરનું નામજ ચોકીદાર છે.  આદિવાસીઓના આસ્થાના પ્રતીક સમાન આ મંદિર છે.

મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સાતપૂડા પર્વતની ગિરિમાળાની મધ્યમાં ચોકીદાર દેવનું મંદિર આવેલું છે.  આ મંદિરમાં બિરાજમાન દેવને સ્થાનિકો અને બીજા રાજ્યના આદિવાસીઓ દેવદરવાણીયા કાળીયાભૂ-તમામાં ચોકીદાર દેવ કહે છે.  અહીં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી શ્રાદ્ધળુઓ આ ચોકીદાર દેવના મંદિરે દર્શન કરવા આવે છે.  ત્રણેવ રાજ્યના આદિવાસી શ્રદ્ધાળુઓ આ દેવને અલગ અલગ નામથી સંબોધે છે.

મહારાષ્ટ્રના આદિવાસી આ દેવને દેવદરવાણિયા કહે છે ત્યારે મધ્યપ્રદેશ ના આદિવાસી કળિયાભૂ-ત મામા કહે છે. ગુજરાતના આદિવાસીઓ ચોકીદાર તરીકે સંબોધે છે. આ દેવનું નામ આદિવાસીઓ માટે ભલે અલગ અલગ હોય પરંતુ અહીં આવનાર દરેક શ્રાદ્ધળુઓની આસ્થા એકજ હોઈ છેઆ ચોકીદાર દાદાનું મંદિર ઘણા વર્ષોથી અહીં સ્થાપિત છે.

આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે આ મંદિર થી થોડે દૂર દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.  આ પાંડુરી માતાનું મંદિર પ્રાચીન સમય થી સ્થાપિત છે. આ પાંડુરી માતા આદિવાસીઓની કુળદેવી છે અહીં દર શિવરાત્રીએ પાંચ દિવસનો મેળો પણ ભરાય છે તથા અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આદિવાસીઓ પાંડુરી માતાના દર્શન કરી અને પૂજા અર્ચના કરીને પછીજ દરેક શુભ કામની અને ખેતીની શરૂઆત કરે છે. કહેવાય છે કે આખું વરસ સારું જાય છે ખેતીમાં સારો પાક ઉતરે છે અને ત્યાં દેવમોગરા પાંડુરી માતાના મંદિરે જતા પહેલા દેવદરવાણીયા કાળીયાભૂત મામાં ચોકીદાર દેવનું મંદિર રસ્તા માં આવે છે.

કહેવાય છે કે કુળદેવી ની પૂજા અર્ચના કરવી હોઈતો તે પહેલાં ચોકીદાર દેવને પ્રસન્ન કરવા પડે છે તેમના મંદિરમાં પૂજા કારીનેજ પાંડુરી માતાના મંદિરે જવાય છે. આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ચોકીદાર દેવની પૂજા કારવાથીજ પાંડુરી માતાના મંદિરે દેવમોગરા જવાનો રસ્તો એમના માટે ખુલી જય છે. કોઈ ચોકીદાર દેવની પૂજા કર્યા વિના પાંડુરી માતાના મંદિરે જાય તો એમની પૂજા સંપન્ન થતી નથી.

તે માટે જ આ ચોકીદાર દેવને આદિવાસીઓ રક્ષક માને છે રક્ષક એટલા માટે મનાય છે કે મંદિરે જતા પહેલા લોકો આ ચોકીદાર દેવ રક્ષક ની પૂજા અર્ચના ખાસ કરે છે અને તે વર્ષો જૂની પરંપરા પણ છે જેના કારણે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થી આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ચોકીદાર દેવની પૂજા-અર્ચના કરે છે અને ચોકીદાર દેવને નમન કરી અને તેમની મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ કહે છે કે આ ચોકીદાર દેવ મંદિરનું દર્શન કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે આ ચોકીદાર દેવના દર્શન કરી કુળદેવી ના મંદિરે જવાની મંજૂરી લેવી પડે પછી જ આગળ જવાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *