આ વખતે ધનયોગ અને રાજયોગમાં ધનતેરસનો તહેવાર આવી રહ્યો છે. 5 નવેમ્બર, સોમવારે ધનતેરસ છે. તે દિવસે સ્વામી શ્રી ધન્વન્તરી અને કુબેરની પૂજા થશે. આ રાશિ પર એની વધુ અસર જોવા મળશે
વૃષભ રાશિ
આ દરમિયાન આપને ઘરમાં સુખદ વાતાવરણ બનશે.આપ આપની પરિવારની સ્થિતિ જોઇને ખુશ થશો. માતાના સ્વાસ્થ્યમાં આ દરમિયાન સકારાત્મક બદલાવ જોવા મળશે. તે પણ આપના માટે ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના જે જાતક બિઝનેસ સાથે જોડાયેલા છે તેમની પ્રગતિ થશે અને લાભ મળશે. આપ આપના કામને લઇને સારા નિર્ણય લેશો અને કુશળતાથી આગળ વધી શકશો. આ વ્યવસાય સંબંધિત પ્રવાસ કરી શકો છો. આ યાત્રાથી પણ આપને લાભ થશે, પરિવારમાં પણ ખુશી અને જશ્નનો માહોલ રહેશે.
સિહ રાશિ
આ ગોચરના કારણે આ રાશિના જાતકને આર્થિક લાભ થશે. આ સમય દરમિયાન ધન સ્ત્રોતના નવા રસ્તાઓ ખૂલશે. આ રાશિના વ્યવસાયીને પણ આ સમય દરમિયાન લાભ મળી શકે છે. જો આપના પૈસા ક્યાંય ફસાયા હશે તો આ સમય દરમિયાન પરત મળવાના યોગ બની રહ્યાં છે. ઉધાર આપેલા નાણા પણ આ સમયમાં આપને પરત મળી શકે છે. ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મીન રાશિ
જે લોકો સંપત્તિમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેમના માટે સમય અનૂકુળ છે. આવા લોકો સોદેબાજીની કળાથી સારો વ્યાપાર કરી શકશે. આ સમય દરિયાન મીન રાશિના જાતકને અનાયાસ ધનલાભ પણ મળી શકે છે. જે લોકો પારાવારિક વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના માટે પણ આ શુભ સમય હશે. ઘરના અન્ય સદસ્યો સાથે સારા તાલમેળના કારણે વ્યવસાય સાથે જોડાયેલા મહત્વના નિર્ણય લેવામાં પણ આપને સફળતા મળશે. સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.