ઘણા લોકો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે અને ભગવાન જાતે આવીને તેમના ભક્તની રક્ષા કરતા હોય છે અને તેવા આપણે પણ ઘણા કિસ્સાઓ સાંભર્યા જ હશે. તેવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે. અમુકવાર ઘણી એવી ચમત્કારિક ઘટનાઓ થતી હોય છે કે જેને જોઈને માણસો પણ આશ્ચર્યચકિત થઇ જતાં હોય છે. ભસુંદર ગામમાં એક એવી ચમત્કારિક ઘટના થઇ કે જેને બધા લોકોના હોશ ઉડાડી દીધા.ભસુંદર ગામમાં અચાનક જમીન ફાડીને નીકળી હનુમાન દાદાની મૂર્તિ. માનવામાં આવે છે કે આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે. લોકો આને હનુમાન દાદાનો ચમત્કાર માને છે.ગામના લોકોએ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરીને પૂજા કરવા લાગ્યા.ગામના લોકો હવે ફાળો એકઠો કરીને હવે મંદિર બનાવવા માગે છે. જયારે ગામના લોકો ખેતરમાં કામ કરવા માટે ગયા હતા ત્યારે તેમને અચાનક ખેતરમાં કઈ દેખાયું જઈને જોયું કે હનુમાન દાદાની મૂર્તિ હતી.
ગામના લોકો છેલ્લા ૫ વર્ષથી દુકાળથી પીડાઈ રહ્યા હતા.ગામમાં ઘણા વર્ષ્યોથી પાણીની સમસ્યા હતી. ગામના લોકોએ નાનું મંદિર બનાવીને મૂર્તિની સ્થાપના કરી અને પ્રાર્થના કરીકે હનુમાન દાદા ગામમાં જે દુકાળની સમસ્યા છે.તેને દૂર કરો અને ગામના લોકો પ્રાર્થના અને પૂજા કરવા લાગ્યા હજુ ચોમાસુ બેસ્યું પણ ન હતું અને અચાનક વરસાદ ચાલુ થઇ ગયો. આ જોઈને ગામના લોકો માની ગયા કે આ હનુમાન દાદાનો ચમત્કાર છે. અને ગામના લોકોની દુકાળની સમસ્યા હંમેશા માટે દૂર થઇ ગઈ.આવોજ એક બીજો કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હનુમાન દાદાના ભક્ત એવા નરેન્દ્ર ભાઈની સાથે થયું.નરેન્દભાઈ જે ભગવાન હનુમાન દાદાના પરમ ભક્ત હતા તેઓ દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા અને મંગળવારે વિશેષ પૂજા પણ કરતા હતા. આ મામલો વર્ષ ૨૦૧૪ નો છે જેમાં અચાનક તેમની દીકરીની તબિયત બગડી હતી અને તેઓ અને તેમનો પરિવાર ખુબ જ પરેશાન થઇ ગયા હતા,
તેમની દીકરીની તબિયત દિવસે અને દિવસે વધારે બગડતી હતી. મોટી મોટી હોસ્પિટલોમાં પણ તેની સારવાર કરાવવા માટે લઇ ગયા પણ કોઈ ફરક પડ્યો નહતો.તેમની દીકરી કેટલાય વર્ષો સુધી ખરાબ થઇ ગઈ હતી અને તેની માટે પણ સબંધની વાતો આવવા લાગી પણ તે અવનવી હરકતો કરતી હતી. જેથી તેનો સબંધ પણ નહતો થતો. દિવસે અને દિવસે તેમની દીકરીની તબિયત વધુ બગડતી ગઈ અને તેઓએ તેમના ઘરની પાસે આવેલા એક મંદિરના પુજારીને પૂછ્યું તો તેઓએ હનુમાનજીના અલૌકિક પાંચ મુખી કવચ વિષે બધી માહિતી આપી હતી.આ કવચમાં સાક્ષાત હનુમાનજીની શક્તિઓ રહેલી છે તેને ધારણ કરવાથી બધી જ તકલીફો દૂર થઇ જાય છે.તેવામાં પંડિતજી એ તેને આ શક્તિશાળી કવચ ધારણ કરાવ્યું અને તેને ધારણ કરવાના એક જ અઠવાડિયામાં તેની બધી જ તકલીફો દૂર થઇ ગઈ અને તે એક એકદમ સાજી થઇ ગઈ હતી જેથી નરેન્દ્રભાઈ પણ સમજી જ ગયા હતા કે આ ચમત્કાર ભગવાન હનુમાન દાદાનો જ છે.
આવીજ એક બીજી, ઘટના હિમાચલના બૈજનાથમાં રહેવા વાળા શુભમ ભાઈની છે, તેઓ બૈજનાથના એક નાનકડા ગામના રહેવા વાળા છે. તેઓ પહેલાથી જ હનુમાન દાદાના પરમ ભક્ત છે. આ ઘટના વર્ષ ૨૦૨૦ની છે, જેમાં એક ઘટના ઘટી હતી અને તેમાં શુભમભાઈ ની સાથે બીજા કેટલાય લોકો પણ હતા અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા હતા. શુભમભાઈ એક વખતે તેમના ગામથી બીજે ગામ માર્કેટમાં સામાન લેવા માટે જઈ રહ્યા હતા. તેઓએ માર્કેટમાં જવા માટે એક ટેક્સીમાં બેસ્યા હતા.
વરસાદનો માહોલ હતો અને તેથી રસ્તામાં કાદવ અને ભીનું હતું, અને તેવામાં જ તેમની ટેક્સી લપસીને બાજુમાં ખાઈમાં જવા લાગી હતી. ટેક્સીમાં બેસેલા બધા જ લોકો ડરી ગયા હતા અને એવું નક્કી જ કરી લીધું હતી કે, તેમની ટેક્સી હવે ખાઈમાં જ પડશે. તેવામાં અચાનક એક ચમત્કાર થયો અને ટેક્સીને પાછળથી કોઈએ ધક્કો માર્યો. આ ધક્કાથી અમારી ટેક્સી ૧૫૦ મીટર આગળ આવી ગઈ અને તેવામાં જ અચાનક એક પહાડનો ટુકડો પણ તે રસ્તા ઉપર આવીને પડી જાય છે.શુભમભાઈ એવું કહે છે જો અમે ગાડીમાં જ બેસી રહ્યા હોત તો તે પહાડના ટુકડાથી કદાચ તેઓ જીવતા ના રહ્યા હોય અને તે જ સમયે તેમની ટેક્સીને પાછળથી ધક્કો મારીને અદ્રશ્ય શક્તિએ આગળ કરી દીધી. તેઓ એવું જણાવે છે કે, તે ચમત્કારને આજદિન સુધી કોઈ સમજી શક્યું નથી અને તેમને એવું જ લાગે છે કે, તે ખાલી હનુમાન દાદાનો જ ચમત્કાર છે.
આવોજ એક બીજો કિસ્સો, જ્યાં હનુમાન દાદાના ભક્તને બચાવવા માટે હનુમાન દાદા જાતે આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં એક રમેશ નામનો વ્યક્તિ રહેતો હતો અને તે બાળપણથી જ હનુમાન દાદાનો ભક્ત હતો. તે એક ગૌશાળામાં ગાયોની સેવા કરતો હતો અને તે વખતે ચોમાસાની ઋતુ ચાલતી હતી, તે વખતે સતત ૪ દિવસ વરસાદ પડવાથી ગામમાં પાણી આવી ગયું હતું અને નદીઓમાં પણ પાણી બે કાંઠે વહેવા લાગ્યું હતું. આ ગાયોની ગૌશાળા નદીની બાજુમાં જ હતી એટલે રમેશ બધી ગાયોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા લાગ્યો હતો અને તેવામાં રમેશ પાછો ગૌશાળામાં જોવા આવ્યો કે કોઈ ગાય હવે ત્યાં છે કે નઈ.એટલામાં રમેશને નદીનું પાણી વહાવીને લઇ ગયું તે ડૂબવા લાગ્યો હતો, અને તે એક હનુમાન દાદાના મંદિરની તટ ઉપર જઈને અટકી ગયો હતો, તે હનુમાન દાદાનું નામ લઇ રહ્યો હતો.તેવામાં તે અચાનક નદીની બહાર આવી ગયો અને તેને આંખો ખોલી ત્યારે તેની સામે ઘણા લોકો ઉભા હતા. રમેશ આજે પણ એવું જ કહી રહ્યો છે કે તેને હનુમાન દાદાએ જ બચાવી લીધો છે.