જીવનમાં કોને અને ક્યારે ગ્રહ બાધા, ગૃહ બાધા, ભૂત બાધા અને દેવ બાધાનો સામનો કરવાનો આવે તે તો એ વાત ઉપર નિર્ભર કરે છે કે જે-તે માણસના કર્મ કેવાં છે. કાર્યોમાં આવી રહેલી પરેશાનીઓ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રના પુસ્તકોમાં ઘણાં ઉપાય જણાવ્યા છે તેમાંથી એક છે કાળા તલનો ઉપાય.
રાહુ, કેતુ અને શનિથી મુક્તિ માટે – કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાડાસાતી ચાલી રહી હોય તો દરેક શનિવારે વહેતા જળની નદીમાં કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિ દોષોની શાંતિ થાય છે. અથવા તમે કાળા તલ દાન પણ કરી શકો છો.
ધનની સમસ્યા દૂર કરવા માટે :
દર શનિવારે કાળા તલ તથા કાળા અડદને કાળા કપડાંમાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાયથી પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ધનહાનિ રોકવા માટે :
મુઠ્ઠીભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ થવાનું બંધ થશે.
ખરાબ સમયથી મુક્તિ માટે :
દર શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું. એનાથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થવાનું શરૂ થશે.
કાર્યમાં સફળતા માટે :
તમારા હાથમાં એક મુઠ્ઠી તલ લઈને ઘરેથી નીકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો દેખાય ત્યારે મુઠ્ઠીમાંના તલ કૂતરા સામે નાખીને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો દેખાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે.
નજરદોષ :
જ્યારે કોઈ નાના બાળકને નજર લાગી જાય અને તે દૂધ પીવાનું બંધ કરી નાખે, એવામાં પરિવારના લોકો ચિંતિત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એક ડાઘ વગરનું લીંબુ લો અને એને વચ્ચેથી અડધું કાપીને, કાપેલા ભાગમાં થોડા કાળા તલના દાણા દબાવી દો.
પછી એના પર કાળો દોરો લપેટો. હવે એ લીંબુને બાળકના માથા પરથી ઊલટી તરફથી ૭ વાર ઉતારો. ત્યારબાદ એ લીંબુને ઘરથી દૂર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી આવો. આ ઉપાયથી શીઘ્ર લાભ મળશે.
રોગ દૂર – સુખ મળે :
દરરોજ એક લોટામાં શુદ્ધ જળ ભરો અને એમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જપ કરતા રહો.
જળ ચઢાવ્યા પછી ફૂલ અને બિલીપત્ર ચઢાવો. એનાથી શનિના દોષ તો શાંત થશે જ તેમજ જૂના સમયથી થયેલા રોગો પણ દૂર થઈ શકે છે.
શનિવારે આ ઉપાય પણ અજમાવી શકો છો.
જવનો ૧૨૫ ગ્રામ લોટ લો, એમાં આખા કાળા તલ મિક્સ કરી રોટલી બનાવો. રોટલીને સારી રીતે શેકો જેથી કાચી ન રહે. પછી એના પર તલનું તેલ અને ગોળ નાખી પેંડા બનાવો.
પછી એ રોટલીને રોગી માણસના માથા ઉપરથી ૭ વાર ઉતારીને કોઈ ભેંસને ખવડાવી દો. પછી પાછળ વળીને જોવું નહીં અને ન કોઈ અવાજ કરવો. ભેંસો ક્યાં મળશે, એ વાતની જાણકારી પહેલેથી મેળવી લેવી.
ધન પ્રાપ્તિ માટે :
સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલીપત્રના વૃક્ષને કાચું દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો, ઘીનો દીવો સળગાવીને રાખો.
ગુરૂવારે કેળાનાં ઝાડમાં કાળા તલ સાથે દૂધ, ગંગાજળ, મધ, કેસર અને ચણાને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, ચમેલીના તેલનો દીપક પ્રગટાવો.
શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, સરસવના તેલનો દીપક પ્રગટાવો.
મંગળ કે શનિવારે કાળા તલ, જવનો લોટ અને તેલ મિશ્રિત કરી એક રોટલી રાંધો એને સારી રીતે બંને તરફથી શેકી પછી એના પર તેલ મિશ્રિત ગોળ લગાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસને ખવડાવી દો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.