જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે પ્રગતિ થાય, જો ઘરમાં કરશો રોજ આ ઉપાય….

ધાર્મિક

જ્યોતિષશાસ્ત્રમાં ટુચકાઓનું ખાસ મહત્વ રહેલું છે. જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આ ટુચકા અસરકારક સાબિત થાય છે. આ ઉપાયથી રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા દૂર થાય છે તેમજ ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ હંમેશા રહે છે. આવો જાણીએ જ્યોતિષશાસ્ત્ર મુજબના કેટલાક ઉપાયો દ્વારા જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે પ્રગતિ મેળવી શકાય છે.

– સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.

– સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે.

– આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી.

– પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ નાખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.

– જો પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો રહેતો હોય તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે.

– હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ રાખીને સુવો. પૂર્વની તરફ માથુ કરીને સુવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સુવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.

– તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.

– ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર નીકાળી દો.

– તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *