ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવ 2021 ની શરૂઆત થઇ ગઈ છે. ઠેર – ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે. ગણેશજી આપણા બધા જ વિઘ્નો દૂર કરીને સુખ-સમૃદ્ધિ આપે છે. ગણેશ ઉત્સવ દરમ્યાન બાપ્પાને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જેથી તેમની કૃપા આપણા પર બની રહે. ગણેશજીને રોજ જુદા – જુદા ભોગ ધરાવવામાં આવી રહયા છે, ત્યારે આજે તમને જણાવીએ કે ગણેશજીને કયા ફૂલો પસંદ છે અને કયા ફૂલો પસંદ નથી આવતા.
ગણેશજીને ન ચઢાવો આ ફૂલો –
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગણેશજીના પિતા શંકર ભગવાનને સફેદ કેતકીનું ફૂલ અપ્રિય છે. આ જ કારણ છે કે બાપ્પાને પણ કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ.
આ સિવાય ગણેશજીની પૂજામાં તુલસીના પાન પણ નથી વપરાતા. એક પુરાણમાં ઉલ્લેખ છે ‘ન તુલસ્યા ગણાધિપમ્’ એટલે કે ગણેશજીને તુલસી અર્પણ ન કરવા જોઈએ.
આ સિવાય ગણેશજીની પૂજામાં ક્યારેય પણ સૂકાં કે વાસી ફૂલો ન વાપરવા જોઈએ. ગણેશજીની પૂજામાં સૂકાં ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે, આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.
ભગવાનને પસંદ છે આ ફૂલો –
કોઈ પણ ભગવાનને તેમના પ્રિય ફૂલો ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. આમાંથી ગણેશજી પણ બાકાત નથી. ગણેશ ભગવાનને લાલ અને પીળા રંગના ફૂલો ખૂબ જ પસંદ છે. એટલે એમની પૂજામાં લાલ જાસૂદના ફૂલો ચઢાવવાથી ગણેશજી તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે.
ગણેશજીને પીળા રંગના ફૂલો વિશેષ પસંદ છે એટલે તેમને ગલગોટાના ફૂલો ચઢાવવા જોઈએ, એનાથી બાપ્પા આપણા બધા જ કષ્ટો દૂર કરે છે અને ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે.
સાથ જ જો તમે ગણેશજીની પૂજા દરમ્યાન લાલ – પીળા રંગના કપડાં પહેરો તો પણ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.