ભગવાન ગણેશને ભૂલથી પણ ન ચઢાવો આ ફૂલો, જાણો કયા ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થશે બાપ્પા

ધાર્મિક

ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવ 2021 ની શરૂઆત થઇ ગઈ છે.  ઠેર – ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને તેમની પૂજા કરવામાં આવી રહી છે. ગણેશજી આપણા બધા જ વિઘ્નો દૂર કરીને સુખ-સમૃદ્ધિ આપે છે.  ગણેશ ઉત્સવ દરમ્યાન બાપ્પાને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે,  જેથી તેમની કૃપા આપણા પર બની રહે.  ગણેશજીને રોજ જુદા – જુદા ભોગ ધરાવવામાં આવી રહયા છે,  ત્યારે આજે તમને જણાવીએ કે ગણેશજીને કયા ફૂલો પસંદ છે અને કયા ફૂલો પસંદ નથી આવતા.

ગણેશજીને ન ચઢાવો આ ફૂલો –

પૌરાણિક માન્યતાઓ અનુસાર,  ગણેશજીના પિતા શંકર ભગવાનને સફેદ કેતકીનું ફૂલ અપ્રિય છે. આ જ કારણ છે કે બાપ્પાને પણ કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ.

આ સિવાય ગણેશજીની પૂજામાં તુલસીના પાન પણ નથી વપરાતા.  એક પુરાણમાં ઉલ્લેખ છે  ‘ન તુલસ્યા ગણાધિપમ્’  એટલે કે ગણેશજીને તુલસી અર્પણ ન કરવા જોઈએ.

આ સિવાય ગણેશજીની પૂજામાં ક્યારેય પણ સૂકાં કે વાસી ફૂલો ન વાપરવા જોઈએ.  ગણેશજીની પૂજામાં સૂકાં ફૂલો ચઢાવવા અશુભ માનવામાં આવે છે,  આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે.

ભગવાનને પસંદ છે આ ફૂલો –

કોઈ પણ ભગવાનને તેમના પ્રિય ફૂલો ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે.  આમાંથી ગણેશજી પણ બાકાત નથી.  ગણેશ ભગવાનને લાલ અને પીળા રંગના ફૂલો ખૂબ જ પસંદ છે.  એટલે એમની પૂજામાં લાલ જાસૂદના ફૂલો ચઢાવવાથી ગણેશજી તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે.

ગણેશજીને પીળા રંગના ફૂલો વિશેષ પસંદ છે એટલે તેમને ગલગોટાના ફૂલો ચઢાવવા જોઈએ,  એનાથી બાપ્પા આપણા બધા જ કષ્ટો દૂર કરે છે અને ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે.

સાથ જ જો તમે ગણેશજીની પૂજા દરમ્યાન લાલ – પીળા રંગના કપડાં પહેરો તો પણ શુભ માનવામાં આવે છે.  આવું કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *