ભારતના પ્રમુખ વિદ્વાનોમાં ગણાતા એવા આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને ભવિષ્યમાં સફળ થવા અને નિરાશાથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે. આ જ કારણ છે કે ચાણક્યની નીતિઓને આજે પણ ઘણી મહત્વની માનવામાં આવે છે.
પોતાની ચાણક્ય નીતિમાં શ્લોકના માધ્યમથી આચાર્ય જણાવે છે કે મનુષ્યોએ કઈ છ વસ્તુઓને લઇ ક્યારે પણ અહંકાર કરવો જોઈએ નહિ.
दाने तपसि शौर्यं वा विज्ञाने विनये नये ।
विस्मयो न हि कर्तव्यो बहुरत्ना वसुन्धरा ।।
આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે જયારે મનુષ્ય દાન , તપ, શૂરતા, વિદ્વતા, સુશીલતા અને નીતિ નિપુણતાની વાત કરે તો તેણે આ વસ્તુઓને લઇ અભિમાન અથવા અહંકાર રાખવો જોઈએ નહિ.
ચાણક્ય કહે છે કે માનવ-માત્રમાં પણ ક્યારેય અહંકારની ભાવના ન રહેવી જોઈએ . કારણ કે આ ધરતી પર એકથી ઉપર એક દાની, તપસ્વી, સુરવીર, વિદ્વાન અને નીતિ નિપુણ વ્યક્તિઓ હાજર છે.
त्यज दुर्जनसंसर्ग भज साधुसमागमम् ।
कुरु पुण्यमहोरात्रं स्मर नित्यमनित्यतः।।
આ શ્લોકમાં ચાણક્ય કહે છે, દુષ્ટોનો સાથ છોડી દેવો, સજ્જનોને સાથે રાખો, રાત-દિવસ સારા કામ કરો અને હંમેશા ઈશ્વરને યાદ કરો. આજ માનવનો ધર્મ છે. આશય એ છે કે હંમેશા વ્યક્તિને સજ્જન લોકો સાથે રહેવું જોઈએ અને દુષ્ટ પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું જોઈએ.
સજ્જન લોકોની અવ્યવસ્થા પણ લાભદાયી હોય છે અને દુર્જનોથી થતો લાભ પણ દુઃખદાયી હોય છે. સાથે જ વ્યક્તિઓએ હંમેશા પુણ્ય અને સારા કામને કરવા અંગે વિચારવું જોઈએ. એવું કરવા પર મનુષ્ય હંમેશા ખુશ રહી શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.