2000 વર્ષ જૂના આ શિવલિંગ માંથી આવે છે તુલસીની સુગંધ, જાણો તેનું રહસ્ય

ધાર્મિક

આજ સુધી તમે ધરતી પર થયેલા અનેક ચમત્કારો વિશે સાંભળ્યું હશે. એવી અનેક વસ્તુ વિશે સાંભળ્યું હશે જેને જાણીને આશ્ચર્ય થાય.  આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે. તમે ક્યારેય એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે કે જે માંથી તુલસીની સુગંધ આવતી હોય ?  જી હાં છત્તીસગઢના સિરપુરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું એક એવું શિવલિંગ જે માંથી કુદરતી રીતે જ તુલસીની સુગંધ આવે છે.

આ શિવલિંગ દેખાવમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવું જ છે. આ શિવલિંગ 2000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સ્થાનિકો આ મહાદેવને ગંધેશ્વર તરીકે પૂજે છે. આ શિવલિંગ સાથે થોડા સિક્કા તેમજ તામ્રપત્ર પણ નીકળ્યા હતા. આ શિવલિંગની ખાસ વાત એ છે કે જ્યારે આ શિવલિંગ જમીનમાંથી નીકળ્યું ત્યારે તેના પર જનોઈ પણ ચડેલી હતી.

આ શિવલિંગમાંથી તુલસીના પત્તાની સુગંધ સતત આવે છે.  સ્થાનિકોના મતે આ સુગંધ શિવલિંગના આસપાસના વિસ્તારમાં પણ પ્રસરતી હોય છે.  માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.  આ શિવલિંગ 4 ફુટ લાંબુ અને 2.5 ફુટની ગોળાઈ ધરાવે છે.  આ શિવલિંગનો રંગ પણ સવારથી સાંજ સુધીમાં ચાર વખત બદલે છે. આ અનોખા શિવજીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *